Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આજી રીવર ફ્રન્ટનું સ્વ. મનોહરસિંહજી જાડેજા નામકરણ કરવા દરખાસ્ત

કોર્પોરેશનના સભાગૃહમાં સ્વ. મનોહરસિંહજી જાડેજાનો ફોટો મુકવા કોર્પોરેટર વિજય વાંકની દરખાસ્ત

રાજકોટ તા. ૧૧ :.. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનનાર આજી રિવર ફ્રન્ટનું સ્વ. મનોહરસિંહજી જાડેજા નામકરણ કરવા અને સભાગૃહમાં તેઓનો ફોટો મુકવા કોંગી કોર્પોરેટર વિજય વાંક દ્વારા દરખાસ્ત મુકવામાં આવી છે. આ અંગે વિજય વાંકે મ્યુનિ. સેક્રેટરીને દરખાસ્તના પત્રમાં જણાવ્યું હતું કે,  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફ્રન્ટ બનાવવામાં આવશે ત્યારે તેનું નામકરણ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ સ્વ. મનોહરસિંહજી જાડેજા (દાદા)નું નામકરણ કરવા તથા મ્યુનિ. કોર્પોરેશનનાં રમેશભાઇ પારેખ સભાગૃહમાં સ્વ. મનોહરસિંહજી જાડેજાનું ફોટો ફ્રેમ (છબી) મુકવા દરખાસ્ત કરવમાં આવી છે.

(3:54 pm IST)