Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

નવાગામ આણંદપરમાં વીજ કરંટ લાગતા ચેતનાબેન બુધ્ધદેવનું મોત

રાજકોટ તા.૧૧: નવાગામ આણંદપરમાં પાણીની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગતા લોહાણા મહિલાનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ નવાગામ આણંદપર ગામમાં રહેતા ચેતનાબેન હિતેષભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૪૮) સવારે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક ચેતનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પતિ કરિયાણાની દુકાન ચલાવે છે આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ કે.સી સોઢાએ તપાસ આદરી છે.

બીમારીના કારણે ચંદ્રેશ ગોહેલનું મોત

કોઠારિયા સોલવન્ટ પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટરમાં રહેતા ચંદ્રેશભાઇ વાઘજીભાઇ ગોહેલ (ઉ.વ.૪૩) ઘણા સમયથી બીમાર રહેતા કોઇ તેથી ગઇ કાલે તેની તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.(૮.૭)

(3:53 pm IST)