Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પૂ. ધીરગુરૂદેવના સાનિધ્યે મહાવીર જયંતી ઉજવાઇ

રાજકોટઃ શ્રી વિલે પાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરૂ દેવની નિશ્રામાં મહાવીર શાસનફેરી પુર્ણ થયા બાદ ૧૪ સ્વપ્ન નૃત્ય પુત્રવધુ મંડળે રજુ કરેલ. શય્યાદાન-વસ્તીદાન માટેપ્રેરણા આપતા જણાવેલ કે સ્થાનકવાસીસમાજ અને સંઘોએ ઉપાશ્રય નિર્માણ, જિર્ણોધ્ધાર વગેરેમાં રકમ દરેક સંઘો આપી શકે તેવી યોજના કરવી જોઇએ.

રાજકોટ નજીક બામણબોર નુતન ઉપાશ્રય નિર્માણના લાભ કુ.વિનસબેન કિશોરભાઇ સંઘવીએ લીધેલ. ભાવીકોએ ધર્મોલ્લાસ પુર્વક સ્વપ્નાઓનો લાભ લીધેલ.

કાર્યક્રમનું સંચાલન ચંદુભાઇ દોશીએ કરેલ. તા.૧૩ ને ગુરૂવારે બપોરે ૩ કલાકે આલોયણા યોજાશે. મોહનલાલ લોઢા પ૧ ઉપવાસ અને મુકેશ નંદુ૩૧ ઉપવાસ તેમજ અન્ય તપસ્વીઓ ૧૬,૧૧,૯,૮ની તપસ્યા કરી રહેલ છે. પારણાનો લાભ શકંુતલાબેન વી.મહેતાએ લીધેલ છે. (૪.૭)

(3:41 pm IST)