Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પરશુરામ ગ્રપુ દ્વારા કાલે ''બ્રહ્મત્વ એક ચિંતન'' શિબિરઃ સામાજીક- વ્યાપારીક વિચાર સંદર્ભે વિચારગોષ્ઠી

રાજકોટ,તા.૧૧: પરશુરામ ગ્રુપ દ્વારા  આવતીકાલે તા.૧૨ને રવિવારે બપોરના ૩ થી ૫ શહેરનાં હેમગુઢવી હોલ ખાતે ગુજરાત રાજય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે ઉદ્યોગજગત, શૈક્ષણિકક્ષેત્ર, તબીબીક્ષેત્ર, ધારાશાસ્ત્રીઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સામાજિક તેમજ વ્યાપારિક વિકાશ સંદર્ભે વિચારગોષ્ઠી કરી શકે તેવા ઉમદા હેતુથી ''બ્રહ્મત્વ એક ચિંતન'' શિબિરનું  આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, પંકજભાઈ ભટ્ટ, પૂર્વ મેયર જયમનભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), મનીષભાઈ માંડેકા (રોલેક્ષ ઈન્ડસ્ટ્રીઝ), ડો.રાજેન્દ્ર ત્રિવેદી (ન્યૂરોસર્જન), ડો.બકુલભાઈ વ્યાસ, ધારાશાસ્ત્રીઓ સંજયભાઈ વ્યાસ, હિતેશભાઈ દવે, મહેશભાઈ ત્રિવેદી, વિજયભાઈ દવે, શૈક્ષણિક જગતના ગીજુભાઈ ભરાડ, પુષ્કરભાઈ રાવલ, નેહલભાઈ શુકલ, ડો.શૈલેષભાઈ જાની, સામાજિક અગ્રણીઓ દેવાંગભાઈ માંકડ, છેલભાઈ જોષી, શૈલેષભાઈ દવે સહીત વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા પંકજભાઈ રાવલ, દિપકભાઈ ભટ્ટ, સતીષભાઈ રાવલ, નિરંજનભાઈ દવે, સમીરભાઈ ખીરા, દિપકભાઈ સુડીયા, જે.કે.શુકલા, રાજુઅદા, હિરેન જોષી, રાજેશ મહેતા, આશિત જાની સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં પંકજભાઈ રાવલ, સમીરભાઈ ખીરા, નિરંજનભાઈ દવે, દિપકભાઈ ભટ્ટ, સતીષભાઈ રાવલ, જવંતભાઈ ઠાકર નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:49 pm IST)