Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજકોટના રતનપરમાં તસ્કરો ત્રાટક્યાઃ વીસેક હજારની ચોરીઃ થોડા દિવસ પહેલા રતનપરમાં અકબરી પરિવાના મંદિરમા ધોળે દિવસે ચોરી થઇ’તી

રાજકોટઃ મોરબી રોડ પર આવેલા રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના રતનપરમાં તસ્કરો ત્રાટકતાં પોલીસ દોડી ગઇ હતી. રતનપરની ડ્રીમલેન્ડ સોસાયટીમાં રહેતાં શૈલેષભાઇ નરભેરામ સાંકળેચાના ઘરમાં રાત્રીના તસ્કરો ત્રાટક્તા હતાં. આ પરિવારના સભ્યો ઉપરના માળે સુતા હોઇ નીચેના માળે દરવાજાના તોડી કબાટો વેરવિખેર કરી તસ્કરો વીસેક હજારની માલમત્તા ચોરી ગયા છે. થોડા દિવસ પહેલા ધોળા દિવસે રતનપરમાં આવેલા અકબરી પરિવારના મંદિરમાંથી તસ્કરો છતર ચોરી ગયા હતાં. એ પહેલા મધરાતે એક સોસાયટીમાં ધાબળા ટોપી ઓઢીને ત્રાટકેલા તસ્કરો જેવા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. આજે ફરીવાર ચોરીનો બનાવ બનતાં પોલીસે કાર્યવાહી કરી હતી. તસ્વીરો ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

(11:41 am IST)