Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઇદની ઉજવણીઃ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ

રાજકોટઃ તાજેતરમાં ઇદ નિમિતે સ્વ. ગનીબાપુના નિવાસસ્થાને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨શ્રી મનોહરસિંંહજી જાડેજાની સાથે  હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ શુભેચ્છાઓની આપ-લે કરી હતી. ખાસ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. શ્રી મનોહરસિંહજી જાડેજા અને પ્ર.નગર ના પી.આઇ.શ્રી.બી.એમ.કાતરીયા તથા સદર જુમ્મા મસ્જીદના ઇમામ હાફિઝ હાજી અકરમબાપુ વરદ હસ્તે પક્ષીઓ માટે ઠંડા પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતુ.

 આ પ્રસંગે હિન્દુ - મુસ્લિમ દરેક સમાજના ભાઈઓ સાથે ઈદની ઉજવણી કરી હતી. જાણીતાા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ, એડવોકેટ, હાજી હુસેન ભાઇ સમા, જૈન અગ્રણી પરેશભાઈ વોરા, ચેતનભાઈ વોરા, ગુરૂ નાનક મંદિરના મહારાજ શ્રી મોહનભાઈ ભગતાણી, સચાનંદભાઈ વધીયા, વાસુભાઈ મોટવાણી, મોહનભાઇ સોઢા, હંસરાજ ભાઈ પટેલ, કનુભાઈ ભટ્ટ, હાજી ઈસ્માઈલભાઈ કુરેશી, ડો.અબ્દુલ ભાઈ બેલીમ, ઈસુબમાં મકરાણી, ટેલીફોન વાળા આલમગીર અન્સારી, માફતભાઈ વોરા, આસીફભાઈ ખોખર, ફારૂકભાઈ ગવલી, સોયબભાઈ સોદાગર, મકસુદ ભાઈ ગવલી (અમીર), યુસુફભાઇ કટારીયા, મસુદભાઈ સોદાગર, મુસાભાઈ કાલાવડીયા, નીતિનભાઈ ધોબી, મુરાદભાઈ દલવાણી, સરદારજી ગુલાબસિંહ ભાવનગરવાળા, રફીકભાઈ કટારીયા, હનીફભાઈ કટારીયા, શકીલભાઇ કટારીયા, ગફારભાઈ કટારીયા, સદર વિસ્તારના વેપારી આગેવાનો ભાવેશભાઈ મકવાણા, મુકેશભાઈ લાલવાણી, છોટાલાલ રાચ્છ, વિનુભાઈ કેસરીયા, યશવંતભાઈ મહેતા, રવાભાઈ ભુવા, દીપકભાઈ સોની, વગેરે  શુભેચ્છાની આપલે કરી હતી. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪  ૧૬૦૬૯) તથા જૈન અગ્રણી પરેશભાઈ વોરા ની સંયુકત યાદી જણાવે છે. 

(4:08 pm IST)