Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

શેઠનગરમાં રહેતાં રાજુભાઇ ઢાંકેચાનું એસઆરપી કેમ્પમાં બેભાન થતાં મોત

સફાઇ કામદાર તરીકે કામ કરતા'તાઃ વાલ્મિકી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૦: જામનગર રોડ પર શેઠનગરમાં રહેતાં રાજુભાઇ મુળુભાઇ ઢાંકેચા (ઉ.૫૩) નામના વાલ્મિકી પ્રોૈઢ ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હોઇ સાંજે પોણા છએક વાગ્યે કેમ્પમાં કામ કરી રહ્યા હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

રાજુભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. બનાવને પગલે વાલ્મિકી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:07 pm IST)