Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ગાયમાતાના ઘાસચારાના લાભાર્થે રવિવારે મેલડી માતાજીનો માંડવો-રકતદાન કેમ્પ

જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા કેવડાવાડી મેઇન રોડ ઉપર આયોજન

રાજકોટ, તા. ૧૦ : અહિંના કેવડાવાડી મેઇન રોડ દરબાર ચોક ખાતે જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા તા. ૧૨ ના શનિવારે ગૌશાળાના ઘાસચારાના લાભાર્થે શ્રી મેલડી માતાજીના ૨૪ કલાકના નવરંગા મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગથી રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, જાણિતા એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ (સદસ્ય, ભારતીય કાનૂન મંચ), ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જીવન બેંકના એમ. ડી. અને અકિલાના સિનિયર રિપોર્ટર નરેન્દ્રસિંહ જાડેજા, ડો. ડી. કે. શાહ (પૂર્વ ડીન સૌરાષ્ટ્ર યુનિ.), પિયુષભાઇ શાહ, રાજુભાઇ પોપટ (રૂપમ ગ્રુપ), શૈલેષભાઇ પાબારી (રૂપમ ગ્રુપ), પવનભાઇ સુતરીયા (મહામંત્રી વોર્ડ નં. ૧૪ ભાજપ), રાજુભાઇ ચાવડીયા (પુર્વ કોર્પોરેટર), નિલેશભાઇ શિયાણી (આર. કે. જવેલર્સ), નીરવભાઇ (મહેશ મંડપ), બકુલભાઇ (પ્રકાશ ડેકોરેશન), રમેશભાઇ મારવાડી, માણસુરભાઇ વાળા (માનસી સ્ટુડીયો) નરેન્દ્રસિંહ ઝાલા, રણજીતભાઇ ચૌહાણ, વિજયભાઇ ત્રિવેદી વિ. ઉપસ્થિત રહેશે.

રાવળદેવ શ્રી ધર્મેશભાઇ રાવળના ડાકના ડૈકારે માતાજીના ભુવાઓ સર્વશ્રી હેમંતભાઇ ચૌહાણ, ઉમેશભાઇ મકવાણા, કરશનભાઇ ચૌહાણ, રવિભાઇ દેવાળા, સુનિલભાઇ મારૂ, સંજયભાઇ પરમાર, ભીખાભાઇ જાદવ, મયુરભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ પરમાર, રાજુભાઇ પરમાર વિ. નવરંગા માંડવામાં રમશે.

ધર્મપ્રેમીજનોએ માતાજીના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

કાર્યક્રમની રૂપરેખા : થાંભલી પૂજન તા. ૧૨ શનિવારે સવારે ૭:૩૦, બ્લડ ડોનેશન કેમ્પ સાંજે ૫ થી ૯, મહાપ્રસાદ સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે.

આયોજનને સફળ બનાવવા જય રામનાથ યુવા ગ્રુપના સર્વેશ્રી પ્રતાપસિંહ ઝાલા, રવિભાઇ માનસતા, રણજીતભાઇ સીદપરા, સુધીરભાઇ પોપટ, જગાભાઇ ચાવડીયા, જયેશભાઇ પટેલ, હિતેષભાઇ ધાધલ, અજીતસિંહ રાજપુત, રણજીતભાઇ ખાચર, મિતેષભાઇ સીદપરા, જગદીશભાઇ રાણપરીયા, જયદીતભાઇ પાદરીયા, હર્ષદભાઇ વાળા, ગૌતમભાઇ ગીડા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:37 pm IST)