Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પાણીજન્ય રોગચાળાનો હાહાકાર ઝાડા-ઉલ્ટી-શરદી-ઉધરસના ૩૦૦ દર્દીઓ

મેલેરીયા વિભાગ દ્વારા ૧૯,૪૩૫ ઘરમાં સર્વેઃ ૯૬૮ સ્થળોએ ફોગીંગઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૬૯ને નોટીસ

રાજકોટ તા.૧૦: શહેરમાં ગરમીનો પારો ઉંચે જતા હવે પાણીની માંગ વધી છે તેની સાથો-સાથ પાણીજન્ય ઝાડા-ઉલ્ટી, મરડો, શરદી-ઉધરસ જેવ રોગચાળો પણ ધીમીગતીએ વકરી રહ્યો છે કેમકે છેલ્લા અઠવાડિયા દરમિયાન મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં નોંધાયેલ વિગતો મુજબ ૩૦૦ જેટલા દર્દીઓની સારવાર આરોગ્ય કેન્દ્રમાં થઇ છ.ે

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડનાં જણાવ્યા છેલ્લા અઠવાડિયામાં  શર્દી-ઉધરસ-તાવના ૧૮૯, દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૧૨, ટાઇફોઇડ-મેલેરીયાના ૬, કમળના ૨ અને મરડાના ૭ દર્દીઓ તંત્રના ચોપડે સતાવાર રીતે નોંધાયો છે.

આ ઉપરાંત મેલેરીયા વિભાગ દ્વારા૧૯,૪૩૫ ઘરોમાં સર્વે,૨૯૪ શાળાઓ, કોલેજ, હોસ્પિટલમાં સ્થળ તપાસ તથા માં ૯૬૮ સ્થળોએ દવા છંટકાવ, મચ્છરોની ઉત્પતિ સબબ ૧૬૯ મકાનધારોને નોટીસો ફટકરાય છે.

ફુડ વિભાગે છેલ્લા અઠવાડીયામાં ૧૪૮ કીલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

રોગચાળા અટકાયતી પગલાની ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો.પંકજ  રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિતપંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્સ્પેકટરો ચન્દ્રાકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ.રાઠોડ તેમજ રાજુલા આર. પરમાર દ્વારા કરવામાં આવીહોવાનું આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યુ઼ છે.

(3:11 pm IST)