Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

પુરીના પૂ. જગદ્દગુરૂ શંકરાચાર્યજી ર દિ' રાજકોટના આંગણે

૧૩ને રવિવારે સાંજે કલ્‍યાણમ પાર્ટી પ્‍લોટ અયોધ્‍યા ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર પૂ. નિશ્‍ચલાનન્‍દ સરસ્‍વતીજી મહારાજની હિન્‍દુરાષ્‍ટ્ર ધર્મસભા ૧૪ને સોમવારે હિન્‍દુરાષ્‍ટ્ર-સંગોષ્‍ઠી દર્શન,દિક્ષા

રાજકોટ તા. ૯ :.. રાજકોટમાં તા. ૧૩ અને ૧૪ ના શ્રી ગાવર્ધનમઠ પુરી પીઠાધીશ્વરના જગદ્‌્‌ગુરૂ શંકરાચાર્યજી પ.પૂ. શ્રી નિલાનન્‍દ સરસ્‍વતીજી મહારાજની અધ્‍યક્ષતામાં હિન્‍દુ રાષ્‍ટ્ર ધર્મસભા તથા હિન્‍દુરાષ્‍ટ્ર સંગોષ્‍ઠી, દર્શન અને દિક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જે અંતર્ગત તા. ૧૩ નવેમ્‍બરને રવિવારે સાંજે પ વાગ્‍યે કલ્‍યાણમ પાર્ટી પ્‍લોટ, સીનર્જી હોસ્‍પિટલની સામે, અયોધ્‍યા ચોક, બીઆરટીએસ, રિલાયન્‍સ ટ્રેડસની બાજુમાં ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે હિન્‍દુરાષ્‍ટ્ર ધર્મસભાને જગદ્‌્‌ગુરૂ શંકરાચાર્યજી પ.પૂ. નિલાનન્‍દ સરસ્‍વતીજી મહારાજ, શ્રી ગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર સંબોધન કરશે.

જયારે તા. ૧૩ અને ૧૪ નવેમ્‍બરના હિન્‍દુરાષ્‍ટ્ર સંગોષ્‍ઠી, દર્શન અને દીક્ષાનું આયોજન બપોરે ૧૧ વાગ્‍યે સુરેન્‍દ્રભાઇ ગુપ્તાના નિવાસસ્‍થાન નંદનિકેતન એપાર્ટમેન્‍ટ, ઘંટેશ્વર પાર્કની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યુ છે.

રાજકોટમાં શ્રી શંકરાચાર્યજી સ્‍વાગત સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભાવિકોને ગોવર્ધન મઠપુરીના પીઠાધિશ્વર જગદ્‌્‌ગુરૂ પૂ. શંકરાચાર્યજીની ધર્મસભા સહિતના કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવાયુ છે. (૬.૨૮)

સંપર્ક સુત્ર

-    સ્‍વામી અતુલ (અતુલભાઇ ગઢીયો) મો. ૮૪૬૦૦ ૧૦૦૦૮

-   સુરેશભાઇ ગુપ્તા મો. ૯૩૭૭૧ પ૭૪૧૪.

-   રાજેન્‍દ્રભાઇ શર્મા મો. ૭૮૭૮૪ પ૦૦૮૧.

-   ગોપાલભાઇ શર્મા મો. ૯૪ર૭ર રર૪પ૮.

-   વિજયભાઇ ગર્ગ મો. ૯૪૦પ૪ ૪પ૮૬પ.

(4:42 pm IST)