Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રજપૂત યુથ ફાઉન્‍ડેશન દ્વારા સ્‍નેહ મિલન

સોરઠીયા  રજપૂત ભાઇ બહેનોનું સ્‍નેહ મિલન રજપૂત યુથ ફાઉન્‍ડેશન દ્વારા યોજવામાં આવ્‍યુ હતુ. પ્રારંભે મોરબીના દિવંગતોને શ્રધ્‍ધાંસુમન અર્પણ કરી સ્‍નેહ મિલનનો પ્રારંભ કરાયો હતો. ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના પ્રમુખ ભાર્ગવ વઢીયારના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ આ સમારોહમાં આમંત્રિત મહેમાનો સર્વશ્રી ડો. હેમાંગ વસાવડા, કિશોરભાઇ રાઠોડ, પ્રવિણભાઇ પરમાર, દીપકભાઇ ભટ્ટી (શિહોર), નવીનભાઇ રાઠોડ (ગોંડલ), પ્રવિણભાઇ રાઠોડ, પંકજભાઇ પઢીયાર, ભાવેશભાઇ ખંઢેરીયા, સ્‍વાતિબેન રાઠોડ, અનિલભાઇ બારડ, પ્રફુલ્લાબેન ચૌહાણ, પ્રવિણભાઇ એમ. ચૌહાણ, રાજેશભાઇ ચૌહાણ, કુમારભાઇ સોલંકી, ભુપતભાઇ સોલંકી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટના પ્રવિણભાઇ ભટ્ટી, ઘનશ્‍યામભાઇ ડોડીયા, વિરલભાઇ રાઠોડ, ગૌરવભાઇ ચૌહાણ, વિજયસિંહ ચૌહાણ, વિપુલભાઇ ચૌહાણ, મિલનભાઇ પરમાર, રણજીતભાઇ પઢીયાર, રાજેશભાઇ ચૌહાણ, હેનીલભાઇ પરમાર, યશોધર પઢિયાર, માનવ પઢિયાર, કૌશિકભાઇ, શિવરાજ ચૌહાણ, રૂપલબેન રાઠોડ, જાગૃતિબેન ચૌહાણ, વૈશાલીબેન પરમાર, જાગૃતિબેન વી. ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:40 pm IST)