Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

નથવાણી પરિવાર યોજીત કથામાં સંતો - મહંતોની પધરામણી

 લોહાણા મહાજન વાડી સાંગણવા ચોક ખાતે સ્‍વ. ગોપાલજી જાદવજી નથવાણી તથા સ્‍વ. દ્વારકાદાસ કાનજીભાઇ કોટેચા પરિવારના યજમાનપદે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ હતુ. બ્રહ્મલીન ભાગવતાચાર્યશ્રી મનહરલાલજી મહારાજના પુત્ર અને ગીતાવિદ્યાલયના સંચાલક ડો. કૃષ્‍ણકુમાર શાષાીના વયાસાસને યોજાયેલ આ કથામાં પૂ. હરિચરણદાસજી બાપુના ઉતરાધિકારી રામજી મંદિર ગોંડલના મહંતશ્રી જયરામદાસજી બાપુ, ભુપેન્‍દ્રરોડ સ્‍વામિનારાયણ મંદિરના શ્રી વિવેક સ્‍વામી, બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી સ્‍વામીએ પણ ઉપસ્‍થિત રહી કથાશ્રવણનો લાભ લઇ આશીર્વચનો વરસાવ્‍યા હતા. યજમાન પરિવારના રાજેશભાઇ રમેશચંદ્ર નથવાણી, જયેશભાઇ કોટેચા, ભાવનાબેન કોટેચા તથા સર્વે સદસ્‍યોએ પૂજાવિધિ અને આરતીનો ધર્મલાભ લીધો હતો. કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની પણ ધર્મમય ઉજવણી કરાઇ હતી.

(3:43 pm IST)