Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

અકસ્‍માત મૃત્‍યુના કેસમાં મૃતકના વારસોને ૩૫ લાખની રકમ ચુકવવા અદાલતનો હુકમ

રાજકોટ તા. ૯ : ન્‍યુ ઇન્‍ડિયા ઇન્‍સ્‍યો કાું.ને ગુજરનારના વારસદારોને કુલ રકમ રૂા. ૩૫,૦૦,૦૦૦ ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

બનાવની હકીકત એવી છે કે, તા.૧૩/૦ર/ર૦૧૪ ના રોજ ગુજરનાર દિનેશભાઈ મનસુખભાઈ મકવાણા, ઉ.વ.આ.પ૩, ગુજરનાર પોતાના હવાલાવાળુ મોટર સાઈકલ નં. જી.જે.૦૩.એ.કયુ.૭૯૮૮ લઈને રાજકોટ થી બીલીયાળા ગામ તરફ જતા હતા ત્‍યારે સર્વિસ રોડ ઉપર રાજકોટ તરફથી આવતી ટાવેરા કાર નં. જી.જે.૦૧.એચ.પી.૭૪૧૭ ના ચાલકે પોતાના હવાલાવાળી ટાવેરા કાર પુરઝડપે તથા બેદરકારી પુર્વક ચલાવીને ગુજરનાર દિનેશભાઈ મકવાણાને પોતાના મોટર સાઈકલ સહીત હડફેટે લીધેલ જે અકસ્‍મતમાં ગુજરનારને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ અને સારવાર બાદ ઈજાપામનાર દિનેશભાઈ મકવાણાનું અવશાન થયેલ જેથી આ બનાવ સબંધે ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન રાજકોટ ગ્રામ્‍યમાં ટાવેરા કારના ચાલક વીરૂઘ્‍ધ આઈ.પી.સી. ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા ૩૦૪(અ) અને મોટર વ્‍હીકલ એકટની કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબનો ગુન્‍હો દાખલ કરવામા આવેલ.

તમામ મુદાઓ પર અરજદારના એડવોકેટ દ્વારા દલીલો કરવામા આવેલ અને તે કોર્ટ દ્વારા માન્‍ય રાખવામા આવેલ અને વીવીધ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ તે ઘ્‍યાને લઈને આ અકસ્‍માતમાં માત્ર અને માત્ર ટાવેરા કાર નં.જી.જે.૦૧.એચ.પી.૭૪૧૭ નાચાલકની બેદરકારી ઠરાવેલ અને ગુજરનાર દિનેશભાઈ મકવાણા ના વારસદારોને રૂા.૩પ,૦૦,૦૦૦ ચુકવવા રાજકોટ એમ.એ.સી. ટ્રીબ્‍યુનલ સ્‍પેશીયલ રાજકોટ. એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી પ્રશાંત જૈનની કોર્ટ દ્વારા હુકમ કરેલ છે અને ઉપરોકત હુકમમાં સંપુર્ણ બેદરકારી માત્ર ને માત્ર ટાવેરા કારના ચાલકની ગણીને ધ ન્‍યુ ઈન્‍ડીયા ઈન્‍સ્‍યો. કંપની સામે ઉપરોકત કેઈસ ના વળતર રૂપે કુલ રૂા.૩પ,૦૦,૦૦૦ ચુકવવા હુકમ કરવામા આવેલ છે.

આ કેસમાં અરજદારો વતી એડવોકેટ અજય જોષી, પ્રિયાંક ભટ્ટ, પ્રદિપ પરમાર રોકાયા હતા.

(3:41 pm IST)