Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સુરેન્‍દ્રનગરથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલા વૃધ્‍ધનું મોત

રાજકોટ તા. ૮: આશરે સાંઇઠ વર્ષના એક વૃધ્‍ધને સુરેન્‍દ્રનગરની ગાંધી હોસ્‍પિટલમાંથી બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. અહિ તેમનું મોડી રાતે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ સુરેન્‍દ્રનગર પોલીસને જાણ કરી હતી. વૃધ્‍ધને જે તે વખતે દાખલ કરવામાં આવ્‍યા ત્‍યારે પોતાનું ટુંકુ નામ રામપ્રકાશ બોલ્‍યા હતાં. પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

(3:37 pm IST)