Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

જેતપૂર-ધોરાજીમાં મતદાર જાગૃતિ માટે અવસર રથઃ ૫૫૦ લોકોએ લાભ લીધો : પત્રીકાનું વિતરણ

રાજકોટ તા. ૯ :  ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨નું પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્‍બર અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્‍બરે યોજાનાર છે ત્‍યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે.

જે અન્‍વયે ગત ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી - ૨૦૧૭માં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્‍તારમાં અવસર રથ દ્વારા ‘‘સ્‍વીપ''(સીસ્‍ટમેટિક વોટર એજયુકેશનલ એન્‍ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) -ોગ્રામ અન્‍વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગળતિ ફેલાવવામાં આવી રહી છે.

જે અનુસંધાને ગઈકાલે  જેતપુર શહેર અને પ્રેમગઢ, પાંચ પીપળા, કેરાળી, જામકંડોરણા, અડવાળા, ચરલ, બરડીયા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગળત કર્યા હતા. જેમાં ૫૫૦ થી વધુ નાગરિકોએ અવસર રથની મુલાકાત કરી મતદાન અંગે જાણકારી મેળવી હતી. જ્‍યારે આજરોજ અવસર રથ ધોરાજી ખાતે આવી પહોંચ્‍યો હતો. આ તકે ઓછું મતદાન થતું હોય તેવા વિસ્‍તારોમાં ફરીને આગામી ચૂંટણીમાં લોકો ઉત્‍સાહભેર મતદાન કરવા જોડાય તે માટે જાગળતિ ફેલાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

(3:31 pm IST)