Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટના મંત્રી કે.ડી. કારીઆનું દુઃખદ અવસાનઃ આવતીકાલે ગુરૂવારે પ્રાર્થનાસભા

૩૮ વર્ષ સુધી સંસ્‍થામાં નિઃસ્‍વાર્થ ભાવે સેવા બજાવીઃ પૂ.રણછોડદાસજીબાપુ ઉપર અપાર શ્રધ્‍ધા હતીઃ ઘેરા શોકની લાગણી

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ, રાજકોટના મંત્રીશ્રી કાંતીભાઈ ધનજીભાઈ કારીયા (કે.ડી. કારીઆ)નું દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વ.કે.ડી. કારિઆ લોહાણા જ્ઞાતિના અગ્રણી હોય ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા.

કાંતીભાઈ ધનજીભાઈ કારીઆ (કે.ડી.કારીઆ) નાનપણથી જ સેવાભાવ સાથે અને સેવાકીય પ્રવૃતીઓ કરતા રહ્યા છે અને અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલ છે. તેમજ સમાજમાં કે.ડી. કારીઆના હુલામણા નામથી પરિચિત છે તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ રાજકોટના માનદ્‌ ટ્રસ્‍ટી તરીકે છેલ્લા ૩૮ વર્ષથી પોતાની સેવાઓ આપેલ છે.

સમાજ સેવાની ભેખ ધારણ કરી સદ્‌ગુરૂ દેવ શ્રી રણછોડદાસજી મહારાજના આર્શીવાદ લઈ પ્રભુ સેવા તથા માનવ સેવાના ધ્‍યેયને ધ્‍યાનમાં રાખીને શ્રી બજરંગ મિત્ર મંડળની અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ માંની એક ‘રોટી પે રોટી લગાઓ'ના સૂત્રને સાર્થક  કરી છેલ્લા ઘણા વરસોથી સમાજમાં જરૂરીયાતમંદ લોકો સુધી છેવાડાના માનવી સુધી સેવાઓ પુરી પાડી અનાજ કીટ વિતરણ, મેડીકલ સહાય તેમજ આયુર્વેદીક દવાનું વિના મૂલ્‍યે વિતરણ તેમજ છેવાડાના વિસ્‍તારોમાં એકયુપ્રેસરના અદ્યતન સાધનો તેમજ નુગાબેડ દ્વારા નિદાન સારવાર તેમજ તેવી અનેક સેવાકિય પ્રવૃતિઓ સાથે પોતાનું સમગ્ર જીવન વ્‍યતિત કરેલ છે. તેમજ આ સફરમાં તેમના ધર્મપત્‍નિ ઈલાબેન પુત્ર જીતેન્‍દ્રભાઈ તથા પુત્રવધુ ભાવીશાબેને તેમની ખભેખભો મીલાવી અને સાથ સહકાર આપેલ છે. પરંતુ સેવાની ભેખ ધારણ કરનાર શ્રી કે.ડી.કારીઆના દુઃખદ અવસાનથી સેવાકીય સંસ્‍થા તથા મિત્રો અને સ્‍નેહીઓ દ્વારા તેમને હૃદયપુર્વક શ્રધ્‍ધાંજલી પાઠવી દુઃખની લાગણી  વ્‍યકત કરેલ છે.

સ્‍વ.ધનજીભાઈ કેશવજીભાઈ કારીઆના સુપુત્ર કાંતીલાલ ધનજીભાઈ કારીયા (કે.ડી.કારીઆ) તે જેન્‍તીભાઈ, સ્‍વ.હરજીવનભાઈ, રસીકભાઈ અને બટુકભાઈના ભત્રીજા તથા સ્‍વ.વ્રજલાલ લક્ષ્મીદાસ પાવાગઢીના જમાઈ તેમજ ગં.સ્‍વ.ઈલાબેનના પતિ તેમજ સ્‍વ.રમેશભાઈ, સ્‍વ.દેવેન્‍દ્રભાઈ, કિશોરભાઈ, પંજકભાઈ, પ્રવિણાબેન નરેન્‍દ્રભાઈ જોબનપુત્રા, લીનાબેન દિપકભાઈ ઉનડકટના ભાઈ તેમજ જીતેન્‍દ્રભાઈ, શીતલબેન દિપકભાઈ મસરાણી, જયશ્રીબેન મંથનકુમાર સોમૈયાના પિતાશ્રી તથા હસુભાઈ, સ્‍વ.રમેશભાઈ અને મહેશભાઈ તેમજ સરોજબેન નરેશભાઈ રૂપારેલીયાના બનેવી, અજય, રોહીત, હેમન અને સાગરના કાકાનું આજરોજ સવારે ૫:૩૦ વાગ્‍યે દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થશ્રીની પ્રાર્થનાસભા આવતીકાલ, ગુરૂવાર તા.૧૦/૧૧ના રોજ સાંજના ૪ થી ૫ કલાકે, અક્ષર સ્‍વામિનારાયણ મંદીર, યોગી સભાગૃહ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પિયરપક્ષ સાથે રાખેલ છે. એડવોકેટ જતીન કારીયા મો.૮૧૬૦૦ ૭૫૪૮૩, જીતેન્‍દ્રભાઈ મો.૯૪૨૯૫ ૭૫૧૯૧

(1:52 pm IST)