Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રણજીતસિંહ ચૌહાણની કાલે પ્રાર્થના સભા - બેસણુ

રાજકોટ : અકિલાના સિનીયર પત્રકાર રણજીતસિંહ ચૌહાણ (ઉ.વ.૫૦) તે નટવરસિંહ ચૌહાણ (સેવા નિવૃત્ત જેકસન બેંક - ફુલછાબ)ના પુત્ર તે પ્રતાપસિંહ ચૌહાણ (સ્‍વસ્‍તિક ઇલેકટ્રીક)ના ભત્રીજા તેમજ મિહીરસિંહ ચૌહાણ (ઓમકાર માર્કેટીંગ) અને અમિતસિંહ ચૌહાણ (શ્રી ડેકોરેટર્સ)ના મોટાભાઇ તથા ચિન્‍મયસિંહ ચૌહાણ (નક્ષત્ર માર્કેટીંગ)ના પિતાશ્રીનું તા. ૮ના રોજ અવસાન થયું છે. સદ્‌ગતની પ્રાર્થના સભા - બેસણુ તા. ૧૦ને ગુરૂવારના રોજ સાંઇનાથ મહાદેવ મંદિર રેલનગર અંડરબ્રિજ પાસે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

(1:40 pm IST)