Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સાયકલવીર સ્વતંત્રતા સેનાની મનસુખભાઇ પંચાલને વડાપ્રધાનનો પ્રશંસા પત્ર મળેલો

રાજકોટ તા. ૯ : સાયકલ ઉપર દેશભરમાં ભ્રમણ કરી ચુકેલા સ્વાતંત્ર્યસેનાની મનસુખભાઇ પંચાલ હાલ નિવૃતિમય જીવન જીવી રહ્યા છે. તેમના સાયકલપ્રેમને ઠેરઠેરથી બીરદાવવામાં આવી રહ્યો છે. ૧૯૯૦ માં દેશના વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાએ પણ તેમને પત્ર લખી તેમના સાયકલપ્રેમને બીરદાવ્યો હતો. તેઓએ પત્રમાં મનસુખભાઇને ઉત્સાહી સાયકલવીર ગણાવેલ. શાંતિ અને રાષ્ટ્રીય એકતાના ઉમદા મિશન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પત્ર હજુ પણ મનસુખભાઇ પંચાલે સાચવી રાખ્યો છે. આ ઉપરાંત અનેક સન્માનો પણ તેઓને મળી ચુકયા છે.

(11:34 am IST)