Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

અકિલાના સિનિયર સદસ્‍ય રણજીતસિંહ ચૌહાણને શ્રધ્‍ધાંજલી પાઠવતું શહેર કોંગ્રેસ : ભાવભરી અંજલી

રાજકોટ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ ‘અકિલા' પરિવારના સીનીયર પત્રકાર રણજીતસિંહ ચૌહાણનું આજરોજ તા.૮ના રોજ દુઃખદ અવસાન થતા રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારમાં ઊંડા શોકની લાગણી છવાઈ છે તેમજ સ્‍વ.રણજીતસિંહ ચૌહાણ કોંગ્રેસ પક્ષના રાજકીય નેતાઓ આગેવાનો અને કાર્યકરો સાથે ઘરોબો ધરાવતા હતા. અકિલા અખબારમાં ફરજ બજાવતા અને લાગણીશીલ સ્‍વભાવના સિનિયર પત્રકાર સ્‍વ.રણજીતસિંહ ચૌહાણની ખોટ હરહંમેશ રહેશે પરમકૃપાળુ પરમાત્‍મા સદગતના આત્‍માને મોક્ષ અર્પે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

(3:56 pm IST)