Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મણિયાર જિનાલયે કાલે સવા લાખ નમસ્કાર મહામંત્રના સામુહિક જાપ

પૂ. આ.દે. નરદેવસાગર સુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં : પૂ.શ્રીનો સોમવારે પાલીતાણા તરફ વિહાર

રાજકોટઃ તા.૯, શાસન પ્રભાવક પૂ. આચાર્ય દેવશ્રી નરદેવસાગર સુરીશ્વરજી મ.શ્રી તથા  તપસ્વીરત્ન પૂ. મુનિરાજશ્રી પદ્મર્કીતી કોતિસાગર જી મ. શ્રી આદિ પુજયો જામનગરથી વિહાર કરીશ્રી રાજકોટ મણીયાર જિનાલયે પર્ધાયા છે. શ્રી સંઘની આગ્રહપુર્ણ વિનંતીથી ત્રણ દિવસ સ્થિરતા કરી છે.

 આજે તા.૯ને શનિવારે સવારે ૭ થી ૮ પૂજયશ્રી એ  મણિયાર ઉપાશ્રયમાં શ્રી નવકારમંત્ર પ્રભાવ ઉપર મનનીય પ્રવચન ફરમાવેલ. જેમા મોટી સંખ્યામાં શ્રાવકોએ લાભ લીધેલ . કાલે તા.૧૦ને રવિવાર સવારે ૭ થી ૮ શ્રી મણિયાર ઉપાશ્રયમાં પૂજયશ્રીની નિશ્રામાં સવાલાખ નમસ્કાર મહામંત્રના સામુદાયિક જાપનુ આયોજન કરેલ છે. દરેક આરાધકો પ બાંધી નવકારવાલીનો જાપ કરીને ધન્ય બનશે. જાપ પુર્ણ થયા બાદ આરાધકોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે. તા.૧૦ને સોમવારે  સવારે પૂજયશ્રી  ચાર્તુમાસ માટે પાલીતાણા  વિહાર કરશે.

(11:29 am IST)