Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

જૈન દીક્ષાર્થીઓની શોભાયાત્રાનું મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત

 કોમી એકતા મહેકી ઉઠી હોય તેમ પૂ. નમ્રમુનિ મ.ની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરવા જઇ રહેલ ૧૨ મુમુક્ષુઓના અનુમોદના સમારોહ અંતર્ગત રાજકોટમાં યોજાયેલ શોભાયાત્રાનું મુસ્લિમ આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કરી મુમુક્ષુઓનું અભિવાદન કર્યુ હતુ. મુસ્લિમ સમાજના સર્વશ્રી હબીબભાઇ ગનીભાઇ કટારીયા (ખુરેશ જમાતના પ્રમુખ મો.૯૮૨૪૪ ૧૬૦૬૯), મૌલાના શફીભાઇ મેમણ, હાજી ફારૂકભાઇ મોહેલ (ગવલી), અબ્દુલ ગનીભાઇ ચૌહાણ, ઇસુબભાઇ ગનીભાઇ કટારીયા, અનવરભાઇ ઓડીયા, અબ્બાસભાઇ બ્લોચ વગેરેએ ઉપસ્થિત રહી દીક્ષાર્થીઓનું અભિવાદન કર્યુ હતુ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:33 pm IST)