Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

નવજાત બાળકીને કોઇ પારણામાં તરછોડી ગયું

કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમથી સારવારમાં ખસેડાઇ

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ પર કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં કોઇ સવારે સાડા આઠેક વાગ્‍યે પારણામાં નવજાત એક દિવસની બાળકીને તરછોડી જતાં આ બાળકીની તબિયત ખરાબ જણાતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

(3:54 pm IST)