Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સદ્ગુરૃ આશ્રમે ડ્રાઇફ્રુટવાળા અડદિયાનું રૃ.૩૮૦માં વેચાણ

રાજકોટઃ શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ  (શ્રી સદ્ગુરૃ સદન ટ્રસ્ટ) સંચાલિત શ્રી સદ્ગુરૃ સામગ્રી ભંડાર દ્વારા ખાસ શિયાળાની ઋતુમાં શુધ્ધ ઘીથી બનાવેલ ડ્રાઇફ્રુટ સાથેના અડદીયાનું વેચાણ તા.૦૮/૧૧,મંગળવાર થી ચાલુ કરેલ છે, બજારમાં મળતા એક કિલોનાં રૃ.૭૦૦ થી ૮૦૦ ભાવના અડદીયાનું ખૂબજ વ્યાજબી ભાવે, ફકત એક કિલોનાં રૃા.૩૮૦માં વેચાણ શરૃ કરેલ છે, તથા અડદીયા ઉપરાંત બીજી અન્ય મીઠાઇઓ પણ શ્રી સદ્ગુરૃ સામગ્રી ભંડારમાં ઉપલબ્ધ હોવાનું યાદીમાં જણાવાયુ છે.શ્રી સદ્ગુરૃ સદન ટ્રસ્ટ સંચાલિત શ્રી સદ્ગુરૃ સામગ્રી ભંડાર (શ્રી રણછોડદાસબાપુજી આશ્રમ), કુવાડવા રોડ, રાજકોટ. મો.૮૪૬૦૯ ૨૮૫૦૮, ૯૫૮૬૩ ૦૮૧૭૮,

(3:36 pm IST)