Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

૧૧મીએ સમસ્ત લુહાર જ્ઞાતિના બીજા સમુહલગ્નોત્સવ

પાંચ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે, ડોકટરો- આગેવાનોનું

રાજકોટઃ શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત લુહાર જ્ઞાતિના બીજા સમુહલગ્નનું આયોજન આગામી તા.૧૧ના શુક્રવારના રોજ કરવામાં આવેલ છે.

પેડક રોડ, સેટેલાઈટ ચોક, બી- ડીવીઝન પોલીસ સ્ટેશન સામે આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ ખાતે આયોજીત આ સમુહલગ્નમાં પાંચ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ૬૫થી વધુ વસ્તુઓ આપવામાં આવનાર છે.

આ પ્રસંગે લુહાર જ્ઞાતિના ૧૭ જેટલા ડોકટરો તેમજ આગેવાનોનું સન્માન કરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશનના સર્વશ્રી નવીનભાઈ લાલજીભાઈ પરમાર, કિશોરભાઈ દેવકરણભાઈ મકવાણા, બિપીનભાઈ માવજીભાઈ પિત્રોડા અને એડવોકેટ ધર્મેશ એચ. સિધ્ધપુરા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ વિગત માટે મો.૯૮૨૪૪ ૪૪૭૪૬ ઉપર સંપર્ક કરી શકાય છે.(૩૦.૯)સન્માનઃ શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા ભવ્યાતિભવય્ આયોજન

(3:36 pm IST)