Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

દેરાસરોમાં શત્રુંજય તીર્થની ભાવયાત્રા

રાજકોટઃ આજે જૈન સમાજના પૂ. સાધુ-સાધ્‍વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન યોજાયા હતા. સાથેજ આજથી ચાતુર્માસ બાદ શત્રુંજયની પવિત્ર યાત્રાનો પણ શુભારંભ થયો છે. ત્‍યારે જે લોકો શત્રુંજયની પવિત્ર યાત્રાએ ન જઇ શકતા હોય તેઓ દેરાસરોમાં શત્રુંજય પટ્ટ દર્શન દ્વારા ભાવયાત્રા કરે છે. શહેરના મણીયાર દેરાસર ખાતે શત્રુંજયની ભાવયાત્રા કરતા શ્રાવક-શ્રાવીકાઓ દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:34 pm IST)