Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

અંબિકા પાર્કને આંગણે મહાસતીજીઓની પધરામણીઃ નીરૃબેન લલીતભાઇ મહેતાએ ચાતુર્માસ પરિવર્તનનો લાભ લીધો

રાજકોટ,તા. ૮ : જૈન સમાજના ચાતુર્માસ પૂર્ણ થતા આજે ધર્મસ્થાનકોમાં બીરાજમાન સંત-સતીજીઓના ચાતુર્માસ પરિવર્તન યોજાયા હતા. શહેરના રૈયા રોડ સ્થિત અંબિકા પાર્ક ખાતે આજે વૈશાલીનગર દેરાસરમાં ચાતુર્માસ અર્થે બીરાજમાન વ્યાખ્યાન વાસસ્પતિ પ.પૂ.આ.ભ. શ્રી વિ.રામચંદ્ર સુ.મા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિ પતી પ.પૂ.આ.ભ.શ્રી વિ.પુણ્યપાલ સુ.ના પ્રશિષ્યા પૂ.શ્રી ભવ્યયશાશ્રીજી મા.સ.આદી ઠાણા-૩નું ચાતુર્માસ પરિવર્તન નીરૃબેન લલિતભાઇ મહેતાના અંબિકા પાર્કના નિવાસ સ્થાને થયું હતું.

આ પ્રસંગે અંબિકા પાર્ક પરિવારના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી પ્રતાપભાઇ વોરા, ખજાનચી યશવંતભાઇ ભટ્ટ તથા મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવીકાઓએ પૂ.શ્રીના દર્શન-વંદનનો લાભ લીધો હતો.

(3:30 pm IST)