Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

પરીક્ષામાં વ્‍યાપક ગેરરીતી-પેપરકાંડ બાદ કાલથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઃ ૪ર હજાર પરીક્ષાર્થીઓ

ટ્રેસ એન્‍ડ ટ્રેક તેમજ વોટર માર્ક પધ્‍ધતી અમલમાં: ફરી સતાધીકારીઓની કસોટી

રાજકોટ, તા., ૮: બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની આવતીકાલથી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો પ્રારંભ થઇ રહયો છે. કુલ ૪ર હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
તાજેતરમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનેક કેન્‍દ્રો ઉપર વ્‍યાપક ગેરરીતી તેમજ બે પ્રશ્ન પત્ર પરીક્ષા પુર્વે ફુટી જવાની કલંકીત ઘટના બની હતી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ હવે પરીક્ષામાં પ્રશ્નપત્ર ન ફુટે તે માટે ટ્રેસ અને ટ્રેક તેમજ વોટર માર્ક  પધ્‍ધતીથી પરીક્ષા લેવાનું આયોજન કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીના નેતૃત્‍વમાં પરીક્ષા નિયામક નિલેશ સોની અને તેની ટીમે આયોજન કર્યુ છે.  પરીક્ષામાં વોટર માર્ક પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. પરીક્ષામાં કોલેજનો કોડ પણ આપવામાં આવશે. આવતીકાલથી શરૂ થનારી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કુલ ૧૧૦ કેન્‍દ્રો છે. જેમાં કુલ ૪ર હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

 

(3:27 pm IST)