Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડીસેમ્‍બરમાં ૧૧ દીકરીઓના સમુહલગ્ન

રાજકોટઃ શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સતત ૨૩માં વર્ષે અગીયાર કન્‍યાઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા.૪/૧૨ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે. કન્‍યાઓને ૧૦૧ આઈટમ ભેટ આપવામાં આવશે.

જેના ફોર્મ શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં.૯/અ, મિલપરા મેઈન રોડ, રાજકોટ ખાતેથી મેળવી લેવા. આ માનવ સેવા કાર્યમાં સંસ્‍થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કશ્‍યપભાઈ ભટ્ટ, દેવાંગભાઈ ભટ્ટ, કિશનભાઈ સુચક, પંકજભાઈ વ્‍યાસ, બકુલભાઈ સરવૈયા, ચિંતન રાચ્‍છ, ધર્મેશભાઇ રાઠોડ, કશ્‍યપભાઈ ભટ્ટ, સવજીબાપા, પાવન શિશાંગીયા, પ્રિયાંશ ગોહેલ, બચુભાઈ માખેલા સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્‍થાના પ્રમુખ જગદીશભાઈ એસ. ભટ્ટ મો.૯૯૨૫૦ ૧૭૮૮૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)