Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉપક્રમે પેરામિલિટરી ફોર્સની સાયકલ રેલીનું રાજકોટ પોલીસ દ્વારા સ્વાગત કરાયું

પોરબંદરથી દિલ્હી રાજઘાટ સુધી સાયકલ રેલી: : રેઇનકોટ અર્પણ કરી મોમેન્ટો અપાયા

રાજકોટ : મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે ૫૦૦ BSF ,CRPF,  ITBP,  CISF,આસામ રાયફલ,NSG સહીતના ફોર્સ દ્રારા પોરબંદરથી દિલ્હી રાજઘાટ સુધી સાયકલ રેલીનુ આયોજન કરવામા આવેલ છે જે રેલી રાજકોટ શહેર ખાતેથી પસાર થતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી તથા ના.પો.કમિ.સા.,ઝોન-૦૧, તથા ના.પો.કમિ.સા ઝોન-૦૨નાઓ સહીતના અધિકારીઓ  દ્વારા સ્વાગત કરવામા આવેલ હતું  અને પોલીસ બેન્ડ તથા જવાનો દ્રારા આવકારવામાં આવેલ સન્માનીત કરવામા આવેલ,હતા બાદ પોલીસ કમિશનર ની કચેરી ખાતે આવેલ શહિદ સ્મારક ખાતે વિર શહીદ જવાનોને તેના બલીદાન બદલ પુષ્પાંજલી આપવામા આવેલ હતી  બાદ વરસાદી વાતાવરણમા પણ રેલીમા હિંમત પુર્વક ભાગ  લેનાર જવાનોને મહે.પો.કમિશ્નર દ્વારા રેઇનકોટ અર્પણ કરી મોમેન્ટો આપવામાં આવેલ, રેલીમા ભાગ લેનાર ફોર્સ વતી હાજર રહેલ કમાન્ડન્ટ  BSF અખિલેશ તિવારી સાહેબ તથા અન્ય અધિકારીઓનુ અભિવાદન કરવામા આવેલ. હતું

 

(10:31 pm IST)