Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

શહેરમાં ફાયર સેફટી વિના અને બિનકાયદેસર ડોમવાળી ચાલતી શાળા-કોલેજો અને કલાસીસો ઉપર કાર્યવાહી કરો : એનએસયુઆઇ દ્વારા આંદોલનની ચીમકી

રાજકોટ : શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને જિલ્લા પ્રમુખ રોહિત રાજપૂતની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને શહેરમાં શાળા-કોલેજો અને ટયુશન કલાસીસમાં ફાયર સેફટી બાબતે એન.ઓ.સી. તેમજ બીનકાયદેસર ડોમ હટાવવા તાત્કાલીક કાર્યવાહી કરવા આવેદન આપવામાં આવ્યું હતું. આ પ્રશ્ને તંત્ર દ્વારા પાંચ દિવસમાં કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવે તો એન.એસ.યુ.આઇ. દ્વારા સ્કૂલો-કોલેજોમાં 'જનતા રેડ ' કરી તાળા બંધીનો કાર્યક્રમ આપવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, જિલ્લા પ્રમુખ રોહિત રાજપૂત, મીત પટેલ, અફજલ જુનેજા, અભિજીત તલાટીયા, હર્ષ આશર, પુષ્પરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, માધવ મયાત્રા, અર્જુનસિંહ જાડેજા, પાર્થ બગડા વિગેરે બહોળી સંખ્યામાં એન.એસ.યુ.આઇના આગેવાનો જોડાયા હતા.  (તસ્વીર : અશોક બગથરીયા)

(3:50 pm IST)