Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બેસણામાંથી ઘરે આવતી વખતે સગર વૃધ્ધ કિશોરભાઇ પડી જતાં 'પરલોક' પહોંચી ગયા

હેમરેજથી મોતઃ કુવાડવા રોડની ચામુંડા સોસાયટીના ગોહેલ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૮: જિંદગીની સફર ગમે ત્યારે ગમે ત્યાં પુરી થઇ જાય છે. કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમ પાસે ચામુંડા સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ રણછોડભાઇ ગોહેલ (ઉ.૬૦) નામના સગર વૃધ્ધ સાથે આવુ જ બન્યું છે. તેઓ સગાના બેસણામાંથી પરત ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં પડી જતાં માથામાં હેમરેજ થઇ જતાં મોત નિપજ્યું હતું.

કિશોરભાઇ ગોહેલ નવા બી-ડિવીઝન પોલીસ મથક નજીક રહેતાં એક સગાનું અવસાન થયું હોઇ ત્યાં બેસણામાં સાંજે ગયા હતાં. ત્યાંથી ચાલીને પરત ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે પોલીસ મથક પાસેની શેરીમાં પડી જતાં એક સગા જોઇ જતાં તેમણે કિશોરભાઇના પરિવારજનોને બોલાવ્યા હતાં અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જો કે અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પડી જવાથી હેમરેજ થઇ ગયાનું તબિબી તપાસમાં ખુલ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(3:51 pm IST)