Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વિલેપારલેમાં પૂ.ધીરજગુરૂદેવની નિશ્રામાં તકતી અનાવરણ વિધિ

રાજકોટ,તા.૭: શ્રી વિલેપારલે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, રેલ્વે સ્ટેશન સામે, વિરાણી ઉપાશ્રય ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં તા.૬ને શુક્રવારે સવારે ૭:૩૦ કલાકે સંઘના નવોદિત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન વિજયકુમાર મહેતા પરિવાર પ્રેરિત 'આત્મોત્થાન ગુણસ્થાનક પરિસર' તકતીની અનાવરણ વિવિધ હિતેશ મહેતા, મનીષ મહેતા વગેરેના હસ્તે યોજાયેલ.

મહેતા પરિવારે રૂ.૨૫ લાખનું અનુદાન  અર્પણ કરેલ. ચંદુભાઈ દોશીએ સ્વાગત કરેલ. હિતેશ મહેતાએ સહુનો આભાર પ્રદર્શીત કરેલ.

(4:16 pm IST)