Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મોટા મવાની જમીન અંગેના કિસ્સામાં વચગાળાના મનાઇ હુકમની અરજી રદ

રાજકોટ તા. ૭: અત્રે મોટા મવા ગામે આવેલ જમીન અંગે વચગાળાનો મનાઇ હુકમ મેળવવા થયેલ અરજીને સિવિલ કોર્ટે રદ કરી હતી.

આ કેઇસની હકીકત એવી છે કે, રાજકોટનાં રહીશ વાદી નિર્મળસિંહ શાંતુભા જાડેજાએ ગુ. જીવુભા ખોડુભાનાં વારસદાર દરજજે રાજકોટનાં એડી. સીનીયર સીવીલ જજ શ્રી એચ. એસ. પટેલની કોર્ટમાં પ્રતિવાદીઓ પોપટભાઇ નરશીભાઇ શીંગાળા વિગેરે સામે રાજકોટ તાલુકાના ગામ મોટા મવાનાં રેવન્યુ સર્વે નં.ફ ૧૭૭ (નવા રે.સર્વે નં. ૧૪) ની ખેડવાણ જમીન એકર ૬-૦૦ ગુંઠા અંગે વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા દાવો દાખલ કરી દાદ માંગેલ કે, દાવાવાળી જમીન વાદીનાં ગુ. દાદા જીવુભા ખોડુભાનાં નામે હતી અને તેમાંથી તેઓએ પ્રતિવાદી નં. ૧ નાં ગુ. પિતા નરશીભાઇ કરમણભાઇ પટેલને એકર ૪-૦૦ ગુંઠા જમીન ખેડુત હકકમાં વાપરવા આપેલ હતી.

ત્યારબાદ બાકીની જમીન એકર ર-૦૦ ગુંઠા ટોચ મર્યાદાધારા હેઠળ ફાજલ થયેલ અને ત્યારબાદ જથમીન ટોચ મર્યાદાધારો રદ થતા સદરહું ફાજલ થયેલ જમીન ગુ. જીવુભા ખોડુભાના નામે પરત આવવી જોઇએ પરંતુ પ્રતિવાદી નં. ૧ નાં એ બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી, ખોટા પુરાવાનાં આધારે ખેડ હકકની નરશીભાઇ શીંગાળાએ મેળવેલ જમીન એકર ૪-૦૦ ગુંઠામાં ક્ષેત્રફળમાં ક્ષતિ હોવાનું જાહેર કરી રેવન્યુ તંત્રને ગેરમાર્ગે દોરી વધારાની એકર રૂ. ૧-૦પ ગુંઠા જમીન પોતાનાં જોગની એકર ૪-૦૦ ગુંઠામાં જોડી દઇ વાદીની વારસાઇ હકકની જમીન ઓળવી ગયેલ છે અને પછી સદરહું જમીન અન્ય પ્રતિવાદીઓને વેચાણ કરી દીધેલ છે તેવી હકીકત જણાવી દાવો દાખલ કરેલ.

સદરહું દાવામાં પ્રતિવાદીઓ દાવાવાળી જમીન અન્ય કોઇને વેચાણ ગીરો કે, બક્ષીસ કરે નહીં કે, કરાવે નહીં તેવો વચગાળાનો મનાઇ હુકમ મેળવવા અરજી કરેલ. સદરહું અરજીની સુનાવણી થતા કોર્ટે ૨'પ્રતિવાદીનાં એડવોકેટશ્રીની'' આ સર્વે નં. ૧૭૭ પૈકી વાળી જમીન એકર ૪-૧૮ ગુંઠા તથા એકર ૦-ર૮ ગુંઠા પ્રમોલગેશનથી જ પ્રતિવાદી નં. ૧ નાં પિતાશ્રી નરશી કરમણનાં નામે નોંધાયેલ છે અને નવી માપણી થતાં પંચ રોજકામ કર્યા બાદ રેવન્યુ અધિકારીશ્રીએ કાયદેસરનાં હુકમથી જમીન એકર ૧-૦પ ગુંઠા તેઓનાં ખાતે કરવાનો હુકમ કરેલ અને ત્યારબાદ અન્ય પ્રતિવાદીઓએ સંપુર્ણ તપાસ કરી કાયદેસરનો અવેજ ચુકવી શુધ્ધબુધ્ધીના ખરીદનાર તરીકે જમીન ખરીદ કરેલ છે અને દાવાવાળી જમીનનો વર્ષોથી કબજો ભોગવટો અને માલીકી પ્રતિવાદીઓનો છે'' તેવી રજુઆત અને દલીલ ધ્યાને લઇ રાજકોટનાં સીનીયર સીવીલ જજ શ્રી એચ. એસ. પટેલે વાદીની વચગાળાનો મનાઇ હુકમ મેળવવાની અરજી રદ કરેલ છે.

આ કામમાં પ્રતિવાદીઓ વતી રાજકોટનાં એડવોકેટ શ્રી અરવિંદભાઇ રામાવત, શ્રી મનોજ એન. ભટ્ટ, અશ્વિન રામાવત, રાજુભાઇ દુધરેજીયા, આનંદભાઇ પઢીયાર વિ. રોકાયેલ છે.

(4:33 pm IST)