Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

તું કેમ મારી પુત્રવધૂને ચડાવે છે...તને તો ત્રણ દિ'માં મારી નાંખવી છે કહી ઇલાબનને ધમકી

રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં બનાવઃ ઘરના હેરાન કરતા હોય તો મહિલા હેલ્પલાઇન ૧૮૧માં ફોન કરવો તેવી સલાહ આપતાં માથાકુટ

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી-૨માં રહેતાં ઇલાબેન મનોજકુમાર લશ્કરીને પડોશમાં રહેતાં કૈલાસબેન કિશોરભાઇ ઝુંડાળા અને જાગા ભરવાડ તથા બે અજાણ્યાએ ઝઘડો કરી ગળુ પકડી ગાળો દઇ 'તને ત્રણ દિવસમાં મારી નાંખવી છે' તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

ઇલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પડોશી કૈલાસબેનની પુત્રવધૂ ગીતા રડતી હોઇ તેને શું થયું? તે અંગે પુછતાં તેણીએ પોતાને ઘરવાળા હેરાન કરતાં હોવાનું કહેતાં તેને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરવાની સલાહ આપી હતી. આ બાબતનો ખાર રાખી કૈલાસબેન અને સાથેના શખ્સોએ તું કેમ ગીતાને ચઢામણી કરે છે? કહી ધમકી આપી હતી. પીએસઆઇ આર. વી. કડછાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)