Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પાસાનું વોરન્ટ નીકળતા ૭ માસથી ફરાર શખ્સને પીસીબીએ ઝડપી લીધો

ધનંજય શર્માને અમદાવાદ જેલમાં ધકેલાયોઃ ભકિતનગર પોલીસે બજવણી કરી

રાજકોટ તા. ૭: જુદા-જુદા ગુનામાં નાસતા ફરતા શખ્સોને શોધી કાઢવાની કાર્યવાહી અંતર્ગત પીસીબીની ટીમએ પાસાનું વોરન્ટ નીકળ્યા બાદ સાત માસથી ભાગતા ફરતાં શખ્સ ધનંજય નિરંજનભાઇ શર્મા (ઉ.૩૦-રહે. હાલ કોઠારીયા રોડ ભોજલરામ સોસાયટી, મુળ જનકપુર ગામ તા. સંગરામપુર જી. મુંગર-બિહાર)ને ઝડપી લઇ પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલ્યો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના મુજબ પીસીબના પી.આઇ. બી.એમ. જાડેજા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ દહેકવાડ, હેડકોન્સ. શૈલેષભાઇ રાવલ, કોન્સ. અજયભાઇ શુકલા, ઇન્દુભા, રાહુલગીરી સહિતે આ પાસાનું વોરન્ટ નીકળ્યા બાદ સાત માસથી ફરાર એવા આ શખ્સને પકડી લઇ વોરન્ટની બજવણી માટે ભકિતનગર પોલીસને સોંપ્યો હતો. (૧૪.૯)

(3:21 pm IST)