Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શિવરથયાત્રામાં મહાદેવના રથને લોધા ક્ષત્રિય સમાજ સુરક્ષા કવચ પૂરૂ પાડશે

રથયાત્રાના રૂટમાં ટ્રાફીક વ્યવસ્થા પણ સંભાળશે

રાજકોટ, તા. ૭ : સનાતન હિન્દુ સમાજ લોધા સમાજમાં રામગઢ મંડલા મધ્યપ્રદેશમાં અદ્દભૂત વિરાંગના મહારાણી અવંતીબાઈ લોધીએ ભારત દેશની આઝાદીના ઈ.સ.૧૮૫૭ વિપ્લવના સંગ્રામમાં અંગ્રેજોની સામે અનેક લડાઈ લડી. માં ભોમની રક્ષા કાજે પોતાની આહુતિ આપી હતી. આવી જ દેશદાઝ અને જુઝારૂ વારસો ધરાવતો લોધા સમાજ મહાશિવરાત્રીના પાવન પર્વે શ્રી દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા આયોજીત શિવરથયાત્રાના બહોળી સંખ્યામાં જોડાઈને વાતાવરણને ધર્મમય બનાવશે. લોધા સમાજના નવયુવાનો બાર જયોતિર્લીંગ પૈકીના આ વર્ષના પાચમા જયોતિર્લીંગ શ્રી બૈધનાથ મહાદેવના મુખ્ય રથને સુરક્ષા કવચ પૂરૂ પાડશે અને સમગ્ર રથયાત્રાના રૂટમાં ટ્રાફીકની વ્યવસ્થા પૂરી પાડશે.

શ્રી લોધેશ્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા રાજકોટમાં વસતા તમામ લોધા સમાજના લોકો તેમજ દરેક ધર્મપ્રેમીજનોએ ૧૩મીની શિવની રથયાત્રામાં બપોરે બે કલાકે કમલેશ્વર મહાદેવ મંદિર કોઠારીયા રોડ સોરઠીયાવાડી સર્કલ પાસે જોડાવવા આમંત્રણ અપાયુ છે. વધુ વિગતો માટે મો. ૯૭૨૭૫ ૭૩૭૩૨, ૯૮૨૪૨ ૩૬૦૬૨, ગોપાલભાઈ તથા જેકેએમ કલ્પેશનો સંપર્ક કરવો.

તસ્વીરમાં જીજ્ઞેશગીરી ગોસ્વામી, જેકેએમ કલ્પેશ ઉમેશભાઈ લોધા, ગોપાલભાઈ રામસીંગ જરીયા (લોધા), અજય બાબુભાઈ લોધા, જીજ્ઞેશ દિલીપભાઈ, અમિત જગદીશભાઈ, નીતીન ભુપતભાઈ, માધવ પ્રવિણભાઈ, પ્રદિપ રાજેશભાઈ, પ્રવિણ કરણસિંહભાઈ, યોગેશ લાલજીભાઈ, દિપક દિલીપભાઈ, પ્રકાશ મોહનભાઈ, વિજય ઓમસીંગભાઈ, હસમુખ વાસુભાઈ, ધર્મેશ નંદુરામભાઈ, ગોપાલ શાંતિલાલ, ભાવિન વાશુભાઈ લોધા, રાહુલ બાબુભાઈ, કિશન પ્રતાપભાઈ, શની ધનશીભાઈ, રવિ વિનોદભાઈ, કિશન પ્રેમજીભાઈ નજરે પડે છે.

(4:01 pm IST)