Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

લક્ષ્મીનગરમાં ૮૦ વર્ષના વૃધ્ધાનું મોતઃ વાલીવારસની શોધખોળ

મૃતક વિજયાબેન વાળા તરીકે ઓળખાતા હોવાની ચર્ચા

રાજકોટ તા. ૭: લક્ષ્મીનગર-૫માં અમૃત મકાનમાં રહેતાં એક વૃધ્ધા ઘરમાં બેભાન થઇ ગયાની જાણ ૧૦૮ને થતાં ઇઅમેટી ચીરાગભાઇ પરમાર પહોંચ્યા હતાં. તેની તપાસમાં આ વૃધ્ધાનું મોત નિપજ્યાનું જણાતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ નિરંજનભાઇ જાનીએ માલવીયાનગર પોલીસને વાકેફ કરી હત. પી.એસ.આઇ. બી. બી. રાણાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બિમારીથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ વૃધ્ધાનું નામ વિજ્યાબેન ભવાનભાઇ વાળા (ઉ.૮૦) હોવાનું કહેવાય છે. જો કે તેના કોઇ વાલીવારસ ન હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના સગા-સંબંધી હોય તો પોલીસનો ફોન ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:44 pm IST)