Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

અમૃત પાર્કમાં બીએસએનએલના નિવૃત કર્મચારી રમેશભાઇનો ફાંસો ખાઇ આપઘાત

પરીવારજનો ઘરે આવ્યા ત્યારે પ્રૌઢને લટકતા જોઇ દેકારો મચાવ્યોઃ કારણ અકળ

રાજકોટ,તા. ૭: રેલનગરમાં આવેલા અમૃતપાર્કમાં રહેતા બીએસએનેએલના નિવૃત કર્મચારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
મળતી વિગત મુજબ રેલનગરમાં છત્રપતી શીવાજી ટાઉંનશીપ પાસે અમૃત પાર્ક  શેરી નં. ૧/૨ માં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારી રમેશ કાનજીભાઇ ખોડીયાર (ઉંવ.૫૫) એ ગઇ કાલે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ટુવાલ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવ્યા ત્યારે પ્રૌઢને લટકતી હાલમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યુ હોવાનુ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ હરેશભાઇ રત્નોતર તથા રાઇટર તોરલબેને સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક બેભાઇમાં મોટા હતા. તેણ કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. એક પુત્ર અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.


 

(4:06 pm IST)