Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વોર્ડ નં.૧૨માં 'હર ઘર દસ્તક' હેઠળ ડોર ટુ ડોર સંપર્ક કરતા મેયર

રાજકોટ : શહેર ભાજપ દ્વારા 'હર ઘર દસ્તક' હેઠળ જે જે દ્યરમાં વેકિસનેશન લેવાની બાકી છે. તેની જાગૃતા માટે ભાજપ પક્ષ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરી વેકિસનેશનને વેગ અપાવવા અને કોરોના સામે સુરક્ષિત કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને આણ તા.૬થી 'હર ઘર દસ્તક' હેઠળ મેયરશ્રી ડા'.પ્રદિપ ડવના નેતૃત્વમાં વેકિસનેશન લેવા માટે ડોર ટુ ડોર સંપર્ક કરવાનું શરૂ કરેલ છે. 'હર ઘર દસ્તક' સંપર્કમાં મેયર ડો.પ્રદિપ ડવ, વોર્ડ નં.૧૨ પ્રભારી પ્રવિણભાઈ ઠુંમર, પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, શહેર યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા, શહેર મહિલા મોરચા મહામંત્રી કિરણબેન હરસોડા, શહેર કિસાન મોરચના ઉપપ્રમુખ યોગરાજસિંહ જાડેજા, શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી ધર્મેશભાઈ ડોડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા તેમજ અગ્રણી પરેશભાઈ સગપરીયા, રશ્મીબેન પટેલ, કંચનબેન મારડીયા, અલ્પાબેન જાદવ, શોભનાબેન અકબરી, ગંગદાસભાઇ ગજેરા, પરસોતમભાઈ રાઠોડ, સુરેશભાઈ રામાણી, રજનીભાઈ લીલા, સતીષભાઈ ટોળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)