Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સરદાર લેઉવા પટેલ સમાજ દ્વારા વલ્લભભાઈ પટેલનો ભાવાંજલી

રાજકોટ :  અખંડ ભારતના શિલ્પી, લોહપુરૂષ 'સરદાર' વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ભાવાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ પટેલવાડી, બેડીપરા ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ - બેડીપરા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ - બેડીપરા, સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ તથા સરદાર પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ - બેડીપરા, રાજકોટના સંયુકત ઉપક્રમે આયોજીત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સમસ્ત લેઉવા પટેલ સમાજના પ્રમુખ ધરમશીભાઈ નાથાણી, માનદમંત્રી ખીમજીભાઈ લુણાગરીયા, ખજાનચી શિવલાલભાઇ લીંબાસીયા, ઉપપ્રમુખ પરસોતમભાઈ વેકરીયા, ઘેલાભાઇ શીંગાળા, ભરતભાઈ ગજેરા, નલીનભાઈ કે. લુણાગરીયા, સવજીભાઈ અકબરી, રમેશભાઈ અકબરી, અરવિંદભાઈ હાપલીયા, સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ, રાજકોટના માનદમંત્રી ખીમજીભાઈ લુણાગરીયા, ખજાનચી, રમેશભાઈ ગોંડલીયા, આયોજનમંત્રી સુરેશભાઈ અકબરી, સહમંત્રી જયસુખભાઈ કીયાડા, ટ્રસ્ટી બાબુભાઈ પાનસુરીયા, પરસોતમભાઈ ગજેરા, ગોવિંદભાઈ લીંબાસીયા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ - બેડીપરાના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ સાવકીયા, માનદમંત્રી નીલાંગભાઈ ઢોલરીયા, પ્રમુખ પ્રવિણભાઈ લીંબાસીયા, હોદ્દેદારો પી.એચ.લુણાગરીયા, ગોરધનભાઈ સોરઠીયા, ભગવાનજીભાઈ કથીરીયા, સુખલાલભાઈ કોટડીયા, અર્જુનભાઈ લુણાગરીયા, વસંતભાઈ હીરાણી, રમેશભાઇ શીંગાળા, સરદાર પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ - બેડીપરાના હોદ્દેદારો મીનાબેન શીંગાળા, કવીતાબેન વાડોદરીયા, હંસાબેન અકબરી, દિપ્તીબેન ગોંડલીયા, વિજયાબેન લુણાગરીયા, પ્રભાબેન પાનસુરીયા, કાંતાબેન સાવકીયા, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો સંજયભાઈ ઢોલરીયા, વેલજીભાઈ ડોબરીયા, બીપીનભાઈ ખોયાણી, મનસુખભાઈ પરસાણા, મેઘજીભાઈ ઘેલાણી, શ્રીમતી એ.પી.પટેલ કન્યા છાત્રાલયના માનદમંત્રી ગોવિંદભાઈ ખુંટ, નિવૃત મામલતદાર શ્રી નસીત, સ્ટાન્ડર્ડ એગ્રો.ના ગોવિંદભાઈ સગપરીયા, નેશનલ પેટ્રો કેમ્સના શિવલાલભાઈ ભંડેરી, વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી ફાર્મ), સમાજ અગ્રણી નાથાભાઈ સોજીત્રા, નાથાભાઈ કયાડા, તદ્દઉપરાંત મુળજીભાઇ ગઢીયા, ચમનભાઈ મોલીયા, ગોપાલભાઈ કથીરીયા, પ્રદિપભાઈ સોજીત્રા, મોહનભાઈ સોજીત્રા, ભરતભાઈ અકબરી, અમૃતભાઇ રૈયાણી, મોહીત સાવલીયા, દેવજીભાઈ ટોપીયા, કરમણભાઈ, ગોપાલભાઈ લુણાગરીયા, વલ્લભભાઈ લુણાગરીયા વગેરે ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના યોગદાનનું ઋણ સ્વીકાર કરી પુષ્પહાર / પુષ્પાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન સમસ્તે લેઉવા પટેલ સમાજ - બેડીપરાના પ્રમુખ ધરમશીભાઈ નાથાણીએ કર્યુ હતું. જયારે આભારદર્શન સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટના ખજાનચી રમેશભાઈ ગોંડલીયાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનદમંત્રી ખીમજીભાઈ લુણાગરીયાએ કર્યુ હતું. કાર્યક્રમની વ્યવસ્થા સમસ્ત લેઉવા પટેલ સમાજના ખજાનચી શિવલાલભાઈ લીંબાસીયા, ખીમજીભાઈ લુણાગરીયા તથા ઉપપ્રમુખ પરસોતમભાઈ વેકરીયાએ કરેલ હતી.

(3:34 pm IST)