Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જીવનનગર કા વિધ્નહર્તા મહોત્સવ ઉજવાશે

કોઇપણ જાતના ઘોંઘાટ નહિ, શોભાયાત્રા પણ કાઢવામાં આવતી નથીઃ પુજન, આરતી, દિપમાળાના કાર્યક્રમોઃ જરૂરીયાતમંદોને પ્રસાદી વિતરણ

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ ગણપતિ મહોત્સવ સમિતિ વોર્ડનં.૧૦ જાગૃત નાગરીક મંડળ રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે પ્રતિ વર્ષની જેમ ગણપતિ મહોત્સવ તા.૧૦મી સપ્ટેમ્બરથી તા.૧૯મી સુધી અનેકવિધ ધાર્મીક કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવશેે. દરરોજ સવાર-સાંજ પુજન, અર્ચન, પુજાવિધિ, પ્રદક્ષિણા, દિપમાળા, મહાઆરતી સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ઢોલ-નગારા, ફટાકડા, ઘોંઘાટ, અબીલ-ગુલાલ, માર્ગો ઉપર અડચણ નિષેદ સાથે ધાર્મીક ઉન્માદ ઉપર પાબંદી કરવામાં આવે છે. સ્થાપન વખતે શોભાયાત્રા બંધ કરી સાદાઇ ભાવપૂર્વક સ્થાપન કરી ઉજવણી કરવામાં આવે છે. મહોત્સવમાં એકપણ આયોજનમાં અતિરેક કરવામાં આવતો ન હોવાનું યાદીમાં જણાાવાયું છે.

  મંદિરના સહવ્યવસ્થાપક વિનોદરાય ભટ્ટ અને સુનિતાબેન વ્યાસ સાથે કમિટીના સદસ્યો શુક્રવાર તા. ૧૦ મી એ સાંજે ગણપતિનું સ્થાપન, પૂજન, આરતી સાથે મંડપ શણગારવામાં આવશે. દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતી, દિપમાલા, પ્રસાદનું  વિતરણ થશે.કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે.

મંદિરના મુકેશભાઈ પોપટ, ડો.તેજસ ચોકસી, વિજયભાઈ જોબનપુત્રા, નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય, ગોવિંદભાઈ ગોહેલ, વી. સી. વ્યાસ, જેન્તીભાઈ જાની, પૂજારી પ્રવિણભાઈ જોષી, અંકલેશ ગોહિલ, નયનેશ ભટ્ટ, પંકજભાઈ મહેતા, હસુભાઈ મોડેસરા ઉપરાંત જીવનનગર સમિતિના હોદ્દેદારોના માર્ગદર્શનમાં મહિલા સત્સંગ મંડળના શોભનાબેન ભાણવડીયા, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા વકીલ, ગુણીબેન જાની, ક્રિષ્નાબેન ભટ્ટ, યશોધરાબેન મહેતા, નયનાબેન ઉપાધ્યાય, હર્ષિદાબેન શુકલ, ભારતીબેન ગંગદેવ, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, પ્રસન્નબા વાળા, જયાબેન શાપરીયા, વર્ષાબેેન ભટ્ટ કેનેડા, દિપ્તીબેન પટેલ, જયશ્રીબેન મોડેસરા, ઉષાબેન પટેલ, ગીતાબેન ભટ્ટ, વાસંતીબેન ત્રિવેદી, દિપ્તીબેન જોશી, કિર્તીબેન ધામેચા, ક્રિષ્નાબા ગોહિલ, કુસુમબેન ચૌહાણ, રેખાબેન વાઢેર, સગુણાબેન વિટ્ટલાણી, કૃપાબેન ભટ્ટ (કાળીપાટ), ભકિતબેન ખખ્ખર, કુસુમબેન રાવલ, શિતલબેન સોલંકી, કુસુમબેન પીઠડીયા, વિધિબેન દવે, જયોતિબેન દવે, કવિતાબેન દોશી, લીલાબેન પીઠડીયા, હર્ષિદાબેન શુકલ, કલ્પનાબેન દવે, પૂનમબેન, શારદાબેન, વીણાબેન, ગીતાબેન મકવાણા, મનીષાબેન જોશી, સરોજબેન, હિનાબેન, હિમાબેન ભટ્ટ, અલ્પાબેન, વંદનાબેન, રશ્મિબેન, ભાવનાબેન, બીનાબેન, જીજ્ઞાબેન, બંસીબેન, અર્ચનાબેન સહિત ચાર સોશાયટીના બહેનો સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.  સ્થળઃ જીવનનગર કા વિધ્નહર્તા, મહાદેવધામ પટાંગણ, ૪ જીવનનગર, બ્રહ્મસમાજ સામે, અનિલ જ્ઞાન મંદિરની પાછળ, રૈયા રોડ રાજકોટ

(4:31 pm IST)