Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજકોટ જેલના ફરાર કેદીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

રાજકોટ, તા. ૬ :. રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન પરથી છૂટી ફરાર થઈ ગયેલ પાકા કામના કેદીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.

જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી બલરામ મીણાની સૂચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા સ્ટાફને મળેલ બાતમી આધારે વોચ ગોઠવી રાજકોટ જેલમાં ભરણપોષણના ગુન્હામાં સજા કાપતો અને વચગાળાના જામીન પરથી છૂટી ફરાર થઈ ગયેલ દિનેશ મોહનભાઈ મકવાણા રહે. રામનાથપરા-૧/૭ રાજકોટને દબોચી લઈ જેલમાં ધકેલી દીધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ કરશનભાઈ કલોતરા, હેડ કોન્સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઈ ધાંધલ, નારણભાઈ છૈયા, પોલીસ કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી, રીયાજભાઈ ભીપૌત્રા, કુમારભાઈ ચૌહાણ તથા ડ્રાઈવર એએસઆઈ રાયધનભાઈ ડાંગર અને વિરમભાઈ સમેચા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:37 pm IST)