Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

અંબિકા પાર્કમાં પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથની પધરામણીઃ અતુલભાઇ મહેતા પરિવારે લાભ લીધો

રાજકોટ તા. ૬: જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વની ધર્મોલ્લાસ સાથે ભકિત કરવામાં આવી રહી. ગઇકાલે પર્વાધિરાજના ત્રીજા દિવસે દેરાસરોમાં પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથને ઘરે લઇ જવા, વહોરાવવા તથા પૂજા માટેની ઉછામણી થયેલ. વૈશાલીનગર દેરાસર, રૈયા રોડ ખાતે થયેલ ઉછામણીમાં અંબિકા પાર્ક પરિવારના અતુલભાઇ મહેતા હસ્તે શ્રીમતી બેલાબેન મહેતા પરિવારે લાભ લીધો હતો. આખો દિવસ મહેતા પરિવારના નિવાસસ્થાને રવિવારે ધર્મ-ભકિતનો માહોલ છવાયો હતો. અંબિકા પાર્કના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ રમેશભાઇ વિરમગામા, સેક્રેટરી પ્રતાપભાઇ વોરા, કો-સેક્રેટરી ધામેલીયાભાઇ તથા ખજાનચી યશવંતભાઇ ભટ્ટ તથા સોસાયટીના રહેવાસીઓએ કલ્પસૂત્ર દર્શનનો લાભ લીધેલ.

(3:36 pm IST)