Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

શુધ્ધ ચાંદીની આરતી, મંગળ દિવો અને થાળીનો સેટ એરપોર્ટ રોડ જિનાલયને અર્પણ

રાજકોટઃ પર્વાધીરાજ પર્યુષણ પર્વમાં ૧૯૫ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી માંડવી ચોક દેરાસરજી - દાદાવાડી દ્વારા શુધ્ધ ચાંદી  ૧૧૦૦ ગ્રામ થી વધુ ચાંદી માંથી બનાવેલ આરતી , મંગળ દિવો અને થાળી નો સેટ શ્રી શાંતિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, એરપોર્ટ રોડ જિનાલયને અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે માંડવી ચોક દેરાસર ના માનદ મંત્રીશ્રીઓ દ્વારા ભેટ અર્પણ કરવામાં આવેલ. શ્રી શાંતિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ વતી અશ્વિનભાઈ, જયંતીભાઈ અને ટ્રસ્ટીઓ સાથે શ્રી સંઘની સમક્ષ આ ચાંદીના સેટ ભેટ નો સ્વીકાર કરવામાં આવેલ. આ તકે શ્રી શાંતિનાથ જિનાલય જૈન સંઘ અને  સમગ્ર કારોબારીએ  માંડવી ચોક સંઘ પ્રમુખ જીતુભાઈ દેસાઈ તથા સમગ્ર કારોબારી ટીમ અને માંડવી ચોક દેરાસર-સંઘનો આભાર માનેલ.

(3:33 pm IST)