Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે ટ્રેન હેઠળ કપાતા અજાણ્યા વૃધ્ધનું મોત

વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૬: જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા આશરે ૬૫ વર્ષના વૃદ્ધનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ શનિ-રવિની રાત્રીના અઢી વાગ્યા આસપાસ બન્યો હતો.  ટ્રેન નં ૦૯૨૧૮ની હડફેટે આ વૃદ્ધ આવી જતા શરીરે ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાય હતા જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ મેળવવા રેલવે હેડકોન્સ. શકિતસિંહ જે ઝાલાએ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઈ વાલીવારસ હોય તો રેલવે પોલીસનો ફોન ન. ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:20 pm IST)