Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

પીડીયુ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બેભાન મળેલા ત્રણ અજાણ્યા પુરૂષના મોત

મૃતકોના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૬: પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વધુ ત્રણ અજાણ્યા પ્રોૈઢ-વૃધ્ધે દમ તોડી દેતાં પોલીસે કાર્યવાહી કરી હતી. સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૧૦ની સામેના ભાગેથી અજાણ્યા આશરે ૫૫ વર્ષના પુરૂષ તથા અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં ઇમર્જન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ બંનેના મૃત્યુ થયા હતાં. આ ઉપરાંત અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ પીડીયુ મેડિકલ કોલેજ પાસેથી બેભાન મળતાં તેમને પણ ઇમર્જન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. ત્રણેય બનાવમાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતાં અજાણ્યા મૃતકોના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:38 am IST)