Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

મોરબી રોડ ગાયત્રી સોસાયટીમાં પટેલ પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવ દીધો

રાત્રે દોઢ વાગ્યે પતિની ઉંઘ ઉડતાં ખબર પડીઃ માનસિક બિમારીથી પગલું ભર્યુ

રાજકોટ તા. ૬: મોરબી રોડ પર ગાયત્રી સોસાયટીમાં રહેતાં લેઉવા પટેલ પરિણીતા ધર્મિષ્ઠાબેન વિપુલભાઇ સુદાણી (ઉ.૩૫)એ મોડી રાત્રે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

પતિ વિપુલભાઇ ધીરૂભાઇ સુદાણીની રાત્રે દોઢ વાગ્યે નીંદર ઉડી ગઇ ત્યારે પત્નિ પથારીમાં જોવા ન મળતાં તપાસ કરતાં બીજા રૂમનો દરવાજો અંદરથી બંધ હોઇ તેને તોડીને જોતાં પત્નિ લટકતી જોવા મળતાં હતપ્રભ થઇ ગયા હતાં. ૧૦૮ને જાણ કરતાં તેના ઇએમટીએ પહોંચી તેણીને મૃત જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.  આપઘાત કરનાર ધર્મિષ્ઠાબેનને સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર છે. પતિ વિપુલભાઇ ઇમિટેશનનું કામ કરે છે. તેણીના માવતર માલીયાસણ રહે છે અને પિતાનું નામ વાલજીભાઇ પોપટભાઇ પાનસુરીયા છે. વાલજીભાઇએ જણાવ્યું હતું કે દિકરી ધર્મિષ્ઠાબેનને માનસિક બિમારી હતી. તેનાથી કંટાળીને આ પગલું ભર્યુ છે.

(4:26 pm IST)