Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

મનેશ્વર મંદિરમાં નાગદેવતા અને ગળતી અર્પણ

 કોઠારીયા રોડ દેવપરા પાસે મહેશ્વરી સોસાયટીમાં બીરાજતા શ્રી મનેશ્વર મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચનના કાર્યક્રમો થયા હતા. પોણા ચાર ફુટના પંચમુખી શીવલીંગ પર પુજારી શ્રી અમૃતગીરી બેચરગીરી ગોસ્વામી દ્વારા ૧૧ દ્રવ્યથી દૈનીક રૂદ્રાભિષેક મહાપૂજના અને આરતી કરવામાં આવી રહ્યા છે. દાતા સુધીરભાઇ અને જયશ્રીબેન તરફથી નાગદેવતા અને ગળતી શીવલીંગ પર ચડાવવા અર્પણ કરવામાં આવેલ. હોમ હવન સાથે પ્રતિષ્ઠા કરાવાઇ હતી.

(4:23 pm IST)