Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

આપઘાત, વ્યાજ અપરણના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૬: આપઘાત, મની લેન્ડીંગ એકટના ગુનામાં પકડાયેલ આરોપી નિખીલ ડોખરીયાને કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે અહીંના ભગવતિપરા મેઇન રોડ ઉપર આવેલ કિષ્ના એપારમેન્ટમાં રહેતા દીપ્તીબેન નિલેષભાઇ રાજપરાએ ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદીની વિગત મુજબ ફરીયાદીના પતિ નિલેષભાઇએ નિખીલ ડોખરીયા, દરજી જારપાડ વિગેરે પાસેથી વ્યાજે રકમ લીધી હતી. જેનું તગડું વ્યાજ વસુલી આરોપીઓએ પઠાણી ઉધરાણી કરતાં નિલેષભાઇએ જુબેલી ગાર્ડનમાં ઝેરી દવા પી લેતા તેનું મુત્યુ નિયજયુ હતું.

આ ગુનામાં આરોપી નિલેષ વેલજીભાઇ ડોબરીયાની પોલીસે ધરપકડ કરતા જમીનપર છુટવા અરજી કરી હતી.

આ જામીન અરજીની સુનાવણી થતાં સેસન્સ કોર્ટ બંને પક્ષોને સાભળીને આરોપી નિખિલ ડોખરીયાને શરતોને આપીન જામીનપર છેડવાનો હુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી વની એડવોર્કેટ સંજય એચ, પંડયા, મતિષ પંડયા, નિલેશ ગણાત્રા, રવિ ધ્રવ, ઇરસાદ શેરવીયા રોકાયા હતા.(૨૨.૧૩)

(4:05 pm IST)