Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

SC/ST/ACTમાં સુધારો કરવા કરણી સેના તથા બ્રહ્મદેવ સમાજ દ્વારા કલેકટરને આવેદન

રાજકોટ : આજે રાજપૂત કરણી સેના તથા બ્રહ્મદેવ સમાજના આગેવાનો દ્વારા એસી-એસ-એસીટી માં સરકારશ્રી દ્વારા જે રીતે ફેરફાર કરવામાં આવેલ તે ફેરફારના વિરોધમાં કલેકટરને આવેદન આપવામાં આવ્યુ હતું. અને માંગણી કરવામાં આવી હતી કે, એસી-એટી-એસીટી ને સુપ્રિમ કોર્ટ શ્રી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો તે જ માન્ય રાખે. આ તકે રાજપૂત કરણી સેનાના જે. પી. જાડેજા,  રણજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, સત્યેન્દ્રભાઇ ખાચર, શિવરાજભાઇ ખાચર, બ્રહ્મદેવ સમાજના મિલનભાઇ શુકલ, હિતેષભાઇ મહેતા, નિલેષભાઇ મહેતા, ગૌરવભાઇ મહેતા, પ્રસંનભાઇ ભટ્ટ, ગૌરવભાઇ રાવલ વિગેરે જોડાયા હતાં. (પ-૩૪)

(3:57 pm IST)